WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

ક્સ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય । દિકરીઓને વિના મુલ્યે અભ્યાસની સાથે રહેવા જમવાની સુવિધા પુરી પાડતી યોજના

ADS by MG

Contents

ADS by MG

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

કસ્તુરબા
ગાંધી બાલિકા વિધાલય

ભારત સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયની શરુઆત
કરવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ અતિ છેવાડાના અનુસૂચિત જાતિ
,અનુસૂચિત
જનજાતિ
, અન્ય પછાત જાતિ અને લઘુમતિની કન્યાઓ માટે ઉચ્ચ પ્રાથમિક
સ્તરે નિવાસી શાળા વ્યવસ્થા ઉભી કરવાનો છે.

આ યોજનામાં પ્રવેશ મેળવનાર કન્યા  (10 થી 14 વર્ષની વય) શાળાની બહાર હોય છે (ડ્રોપ આઉટ
થાય છે અથવા ક્યારેય પ્રવેશ મેળવેલ નથી) અથવા
6 મહિનાથી વધુ સમય માટે અનિયમિત રહે છે.તે
કન્યાઓમાંથી
75% કન્યાઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિઓ, લઘુમતિ સમુદાયો અને અન્ય પછાત સમુદાયોની હોય છે અને 25% કન્યાઓ ગરીબી રેખાની નીચે (બી.પી.એલ.) ના કુટુંબોની હોય તો પ્રવેશ મળવા પાત્ર છે. 

જે કન્યાઓ ક્યારેય શાળામાં ગઈ નથી તેવી કન્યાઓ માટે ખાસ
તાલીમ અભ્યાસક્રમ પણ કરવામાં આવે છે જે ઓછામાં ઓછા ત્રણ મહિના અને વધુમાં વધુ છ
મહિના અથવા ૬ (છ) મહિનાથી વધુ સમય માટે કરવામાં આવે છે.


કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયની શૈક્ષણિક પ્રવૃત્તિઓ:

·        
નબળું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઓળખવા માટે મિશન વિદ્યા
નામની રાજ્ય કક્ષાની પ્રવૃત્તિ- ગુણવત્તા મૂલ્યાકંન કાર્યક્રમ ગુણોત્સવમાં પ્રિય
બાળકો
, કેજીબીવી કન્યાઓને પણ ઓળખવામાં આવે છે અને સારી કામગીરી
કરવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે.

·        
દરેક કે.જી.બી.વી. વોર્ડન કમ હેડ ટીચર 6, 7 અને 8 સેમેસ્ટર પરીક્ષાઓના આધારે ધોરણ કે વિષયના
વર્ગ શિક્ષકો શૈક્ષણિક રેકોર્ડ રાખે છે.

·        
માધ્યમિક શાળાની કન્યાઓ માટે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો
માટે વધારાના કોચિંગ આપવામાં આવે છે.

·        
રાજ્ય કક્ષાના તમામ વિષયો માટે એકમ કસોટી પણ લેવામાં આવે છે
અને તમામ શિક્ષકો દ્વારા લેવામાં આવતી દરેક કન્યાઓની ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.

·        
વધુ જ્ઞાન મળી રહે તે હેતુ માટે કેજીબીવી સ્તરે શૈક્ષણિક
પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું છે.

·        
ટીચિંગ-લર્નિંગ મટીરીયલ્સ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવે
છે તેનો બ્રિજ કોર્ષ માટે નિયમિત ઉપયોગ વર્ગોમાં થાય છે.

·        
કેજીબીવીમાં જ્ઞાનકુંજ અન્વયે સ્માર્ટ ક્લાસની સુવિધાઓ આપવામાં આવે
છે.

     

કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય માં કરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ:

·        
જી.સી.ઇ.આર.ટી., પ્રાથમિક શિક્ષણ વિભાગ જેવા જુદા જુદા વિભાગ
દ્વારા આયોજીત પ્રોજેક્ટ વર્ક
, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા, વિજ્ઞાન મેળો, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, યોગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં કેજીબીવી દીકરીઓ
દ્વારા ભાગ લેવામાં આવે છે.

·        
ગ્લાસ પેઇન્ટિંગ જેવી કે તેમની કુશળતાના વિકાસમાં મદદરૂપ
થાય તેવી પ્રવૃત્તિઓ
, જુદી જુદી વસ્તુઓ બનાવવા માટે, બાગકામ, મીના રેડિયો પ્રોગ્રામ, સાપ્તાહિક એક્સપોઝર મુલાકાત પણ વર્ષ દરમ્યાન કરવામાં આવે
છે.

કેજીબીવીમાં
કાઉન્સેલિંગની વ્યવસ્થા:

કેજીબીવીમાં
રહેતી દીકરીઓ તેમના પરિવારના સભ્યોથી દૂર હોવાથી ઘણીવાર ભાવનાત્મક
, સામાજિક અને માનસિક દબાણનો સામનો કરે છે. કેજીબીવી દીકરી
તેમના ઘરની અનેક સમસ્યાઓ અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહેલા પછાત
વિસ્તારોમાંથી આવી રહી છે. ઘણી વાર તેઓ આ બધા મુદ્દાઓનો સામનો કરી શકતા નથી તેથી
હતાશા અનુભવે છે જે આખરે તેમના અભ્યાસને અસર કરે છે.જે 
તણાવ અને દબાણને દુર કરવા માટે કાઉન્સેલિંગ કરવા માં આવે છે 

કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય Highlight
Point 

યોજનાનું નામ

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.)

વિભાગનું નામ

શિક્ષણ વિભાગ

યોજનાની વધુ માહિતિ માટે

નજીકની સરકારી પ્રાથમિક શાળા
નો સંપર્ક કરવો

ઓફિશલી વેબસાઇટ 

અહીં ક્લિક કરો 

લાભાર્થીની પાત્રતા

શાળા બહારની SC ST OBC અને લઘુમતી વર્ગની ૧૦
થી ૧૪ વર્ષની દિકરીઓ 

યોજના હેઠળ મળવાપાત્ર સહાય

વિના મૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણ સ્ટાઇપેન્ટ તેમજ વિવિધ કૌશલ્યોની તાલિમ

કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?

SC/ST/SEBC/MINORITY

અરજી પ્રક્રિયા

ઓફલાઈન

પ્રવેશ માટે અરજી ક્યાં કરવાની
હોય છે
?

જે તે કસ્તુરબા ગાંધી બાલિકા
વિધાલય ખાતે અરજી કરવાની રહેશે
.

 K.G.B.V
યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે  જરૂરી પુરાવા

આ યોજના હેઠળના નીચેના મુજબના પુરાવા
હોવા જરૂરી છે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

. (કે. જી. બી. વી.) કસ્તુરબા ગાંધી
બાલિકા વિદ્યાલય હેઠળ શિક્ષણની સાથે બીજી તાલીમ મળે છે
?

જવાબ: પોષણ, આરોગ્ય લક્ષી, સંરક્ષણ, સિવણકામ, કોમ્યુટર શિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ, જીવન કૌશલ્યની કેળવણી, પ્રેરણા પ્રવાસ વગેરે 

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.
જી. બી. વી.) હેઠળ અનુસૂચિત જાતિ
, અનૂસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ
અને લધુમતિમાં સમાવેશ થતી જ્ઞાતિની દિકરીઓને લાભ મળવાપાત્ર છે.

૩.K.G.B.V યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા માટે શું કરવાનું હોય છે? 

કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય અંતર્ગત પ્રવેશ મેળવવા માટે જે તે તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયની મુલાકાત લઇ ત્યાંથી પ્રવેશે ફોર્મ મેળવીને પરત જમા કરાવવાનું હોય છે. 


Leave a Comment

ADS by MG