વડોદરા અને સુરેન્દ્રનગર માં ગાજવીજ સાથે ભારે વરસાદ, અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.


Gujarat Rain Update: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.22 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.51 ઈંચ, ખંભાળિયામાં 2.20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. વઢવાણ,પાટડી, ચોટીલા અને લખતર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી ખેડૂતો ને ખુબ નુકશાન સર્જાયું છે. જ્યારે વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં 15મી ઓક્ટોબરે જૂનાગઢ,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16મી અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ફાયર NOC માટે લાંચ લેનારા બરતરફ ફાયર ઓફિસર મનીષ મોડની ધરપકડ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગ અનુસાર, મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. પરંતુ દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.જેના થી કોઈ જાનહાની ન થાય

Categories આપણું ગુજરાત

Leave a Comment